પ્રસ્તાવના
ગ્રામ પંચાયત સંચાલિત,શ્રી વિનય મંદિર
સારંગપીપળી (માધ્યમિક શાળા)ની સ્થાપના 1973 મા થયેલી છે.અત્યાર
સુધીમાં 2000 વિધાર્થીઓ
અભ્યાસ કરી ગયા છે.શાળા મા દાતાશ્રી
શ્રીમાન મુલજીભાઇ પોપટભાઇ પાનખાનિઆ અને
શ્રીમતિ ગોમતીબેન
મુલજીભાઇ પાનખાનિઆ ના દાન થી શાળાના જુના બિલ્ડીંગનુ સંપૂર્ણ
રિનોવેશન કરવામાં આવ્યુ છે તેમજ શ્રીમાન મહેશભાઇ વાડીલાલ ગાંધી અને શ્રીમતિ રશ્મીબેન મહેશભાઇ ગાંધી ઘાટકોપર –મુંબઈ ના દાનથી શાળામાં ભાનુવાડી
-વિજ્ઞાનભવન નું
નિર્માણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અનેક દાતાશ્રીઓના
સહયોગથી, અને ગામ આગેવાનો ના સહકારથી શાળાએ
છેલ્લા સાત વર્ષમાં અભુતપુર્વ પ્રગતિ કરી
છે શાળાના શિક્ષકો, અને સ્ટાફ ની મહેનતનુ પરિણામ છે. આચાર્યશ્રી એચ. એ. શિંગડીયા
સાહેબ માર્ગદર્શક
ની ભુમિકામાં રહી, શાળા વિકાસના યશભાગી બન્યા છે.
શાળાએ વિધાનું મંદિર છૅ. જયાં જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ નું સિંચન થાય છૅ. શાળામાં બાળકોનૅ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નથી.પરંતુ
બાળકમાં રહેલી આંતરીક પ્રતિભા બહાર આવૅ, બાળકનો
સર્વાગી વિકાસ થાય એ હૅતુનૅ ધ્યાનમાં રાખીનૅ વિવિધ પ્રવૃતિઓ- પ્રયુકિતઓ દ્વારા
શિક્ષણ આપવામાં આવૅ છૅ. આજૅ જીવનમૂલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છૅ. તથા
સામાજિક જીવનમાં અરાજકતાભરી સ્થિતિ દિવસૅ દિવસૅ વધતી જાય છૅ. આવા સમયમાં શાળા
જ આદર્શ બાળકો - આદર્શ નાગરિક અને આદર્શ માનવનું નિર્માણ કરી શકૅ છૅ.
આજના શિક્ષણમાં સાધનો વધ્યાં, ઈમારતો
વિકસી,ભણાવવાની ટૅકનિકો વધી, પરંતુ....આમ છતાં સાચું શિક્ષણ જાણૅ કૅ ખોવાઈ
ગયું છૅ. ત્યારૅ એક સાચો શિક્ષક પોતાનાં વિધાર્થિઓનૅ તૅમની ઉંમર પ્રમાણૅ શિક્ષણ
સાથૅ માર્ગદર્શન આપીનૅ જીવન માટૅ તૈયાર કરૅ છૅ. પાઠયપુસ્તકોનું જ્ઞાન આપવાની સાથૅ
સાથૅ એક નિષ્ઠાવાન શિક્ષક પોતાનાં બાળકોનૅ
માનવીય મૂલ્યો અનૅ જીવનના આદર્શ પૂરા પાડૅ એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલું જ
જરુરી છૅ.
શાળામાં દરવર્ષે થતી પ્રવૃત્તિઓ, અને પ્રગતિનો
અહેવાલ, આ શાળાના બ્લોગમાં રજુ કરવામાં
આવેલ છે. તે આપશ્રીને જરૂર ગમશે તેવી અપેક્ષા સહ......
એચ.એ.
શિંગડીયા
આચાર્યશ્રી
શ્રી વિનય મંદિર
સારંગપીપળી
¥